સરકારે ઊતારેલ છે, લાખો ખેડૂતોનો અકસ્માત વીમો ! ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના.
જેના ખાતે જમીન છે તે તમામ ખાતેદાર ખેડૂતોનો અકસ્માત વીમો તેના પરિવાર સાથે સરકારે લીધેલ છે. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. જેમાં અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં તેઓની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોય તેમને યોજનામાં લાભ મળવાપાત્ર છે.